એક્શન મોડમાં ટ્રમ્પ સરકાર, ‘ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ’ને પહેલી ફ્લાઇટમાં ભારત માટે રવાના કર્યાં


HD ન્યુઝ ડેસ્ક : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. સોમવારે એક અમેરિકન C-17 લશ્કરી વિમાન અમેરિકાથી ભારત આવવા રવાના થયું હતું. આ પ્લેન આજે ભારત પહોંચશે.
ટ્રમ્પ સરકાર એક્શન મોડમાં
પ્રમુખ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી ભારતમાં આ પ્રથમ દેશનિકાલ છે. ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા પણ કરી હતી. અગાઉ, ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેવા માટે સંમત થયું હતું અને લગભગ 18,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પાછા લેવાની વાત પણ કરી હતી.
સેનાની મદદ માંગી
ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધના આ અભિયાનમાં ટ્રમ્પ પ્રશાસને અમેરિકી સેનાની મદદ માંગી છે. આ માટે યુએસ-મેક્સિકો બોર્ડર પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થળાંતર કરનારાઓને રાખવા માટે સૈન્ય મથકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર વસાહતીઓને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત માઈગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ જેવા દેશોમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારત સૌથી દૂરનું સ્થાન છે જ્યાં દેશનિકાલ ફ્લાઇટ જશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
સૌથી વધુ H-1B વિઝાધારકો ભારતીયો
ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન એમ કહ્યું હતું કે, ‘જ્યારે હું ફરીથી ચૂંટાઈશ ત્યારે અમે અમેરિકન ઈતિહાસનું સૌથી મોટું દેશનિકાલ અભિયાન શરૂ કરીશું.’ એક અહેવાલ મુજબ ભારત અને અમેરિકાએ લગભગ 18,000ની આસપાસ ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે . અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા મોટાભાગના H-1B વિઝા ભારતીયોને મળ્યા છે.
ટ્રમ્પ અને પીએમ મોદીની ઈમિગ્રેશન પર ચર્ચા
ડોનાલ્ડ ટ્રમ્પે ગત મહિને જ વડાપ્રધાન મોદી સાથે વાતચીત દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેવા માટે ભારત યોગ્ય પગલાં લેશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે સકારાત્મક વાતચીત થઈ.
આ પણ વાંચો : દ્વારકા જગત મંદિરે પ્રતિબંધિત વિસ્તારની આસપાસ શંકાસ્પદ ડ્રોન દેખાતા તંત્ર દોડતું થયું