ટ્રેન્ડિંગધર્મમહાકુંભ 2025

મહાકુંભ જાવ તો ધાર્મિક સ્થળો ઉપરાંત આ ઐતિહાસિક જગ્યાનું પણ કરો ભ્રમણ

  • જો તમે મહાકુંભ જાવ તો તમારે પ્રયાગરાજના કેટલાક ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેવી જ જોઈએ, જે ખૂબ પ્રખ્યાત છે

HD ન્યુઝ ડેસ્કઃ ધાર્મિક ગ્રંથોમાં પ્રયાગને તીર્થસ્થાનોનો રાજા કહેવામાં આવે છે. જેના કારણે અહીં સંગમ તટથી લઈને અક્ષય વટ સુધી અનેક મોટા ધાર્મિક અને પૌરાણિક સ્થળો છે. પ્રયાગરાજમાં મહાકુંભ યોજાય છે, જેના કારણે આ શહેરની સુંદરતા વધી જાય છે. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી ભરેલું છે. જો તમે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારે લેટે હનુમાનજી, નાગવાસુકી, અલોપી મંદિર અને અક્ષય વટની મુલાકાત લેવી જ જોઈએ. જો તમે આ સ્થળોની મુલાકાત લીધી હોય તો તમે પ્રયાગરાજના કેટલાક ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો, જે ખૂબ પ્રખ્યાત છે.

ખુસરો બાગ

ખુસરો બાગ એક ઐતિહાસિક સ્થળ છે, જ્યાં જહાંગીરના પુત્ર ખુસરો અને સુલતાન બેગમના મકબરા પણ બનેલા છે. આ મકબરા રેતીના પથ્થરોથી બનેલા મુઘલ સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણો છે. આ બગીચાની ડિઝાઇનનો શ્રેય આકા રઝાને જાય છે, જે જહાંગીરના દરબારમાં એક કલાકાર હતા.

મહાકુંભ જાવ તો ધાર્મિક સ્થળો ઉપરાંત આ ઐતિહાસિક જગ્યાનું પણ કરો ભ્રમણ hum dekhenge news

અલ્હાબાદ કિલ્લો

અલ્હાબાદ કિલ્લો ૧૫૮૩ માં મુઘલ સમ્રાટ અકબર દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો ગંગાના સંગમ પાસે યમુના કિનારે બનેલો છે. અકબરે આ કિલ્લાનું નામ ઈલાહાબાદ રાખ્યું જેનો અર્થ થાય છે અલ્લાહ દ્વારા આશીર્વાદિત, જે પાછળથી અલ્હાબાદ બન્યું. આ કિલ્લો અકબર દ્વારા બંધાયેલો સૌથી મોટો કિલ્લો છે.

સ્થાનિક દંતકથાઓ અનુસાર અકબર વારંવાર કિલ્લો બનાવવામાં નિષ્ફળ ગયો કારણ કે દરેક વખતે તેનો પાયો રેતીમાં ધસી ગયો. ત્યારબાદ કોઈએ અકબરને જાણ કરી કે આગળ વધવા માટે માનવ બલિદાન આપવું પડશે. આ પછી એક બ્રાહ્મણે સ્વેચ્છાએ પોતાનું બલિદાન આપ્યું અને બદલામાં, અકબરે તેના વંશજોને પ્રયાગરાજ સંગમમાં યાત્રાળુઓની સેવા કરવાનો અધિકાર આપ્યો.

આનંદ ભવન

આનંદ ભવન એ નહેરુ પરિવારનું ભૂતપૂર્વ નિવાસસ્થાન છે, જે હવે સંગ્રહાલય તરીકે સેવા આપે છે. તે મોતીલાલ નહેરુ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને પાછળથી કોંગ્રેસની કામગીરીનું સ્થાનિક મુખ્યાલય બન્યું હતું.

મહાકુંભ જાવ તો ધાર્મિક સ્થળો ઉપરાંત આ ઐતિહાસિક જગ્યાનું પણ કરો ભ્રમણ hum dekhenge news

ભારદ્વાજ આશ્રમ

એવું માનવામાં આવે છે કે આ આશ્રમ ઋષિ ભારદ્વાજનો આશ્રમ છે, દંતકથા અનુસાર આ આશ્રમમાં ઋષિ ભારદ્વાજે પુષ્પક વિમાનની રચના અને નિર્માણ કર્યું હતું.

આ પણ વાંચોઃ શું છે પેરાનોર્મલ ટૂરિઝમ? આ જગ્યાઓ પર જવાનું પસંદ કરે છે લોકો

ચંદ્રશેખર પાર્ક

૧૯૩૧માં આ જ ઉદ્યાનમાં ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં શહીદ થયા હતા. તે સમયે આઝાદ માત્ર 24 વર્ષના હતા. આ પાર્કનું નામ તેમના નામ પરથી જ પડ્યું હતું.

આ પણ વાંચોઃ મારા જીવને ખતરો! એક ટ્વીટર પોસ્ટ જોઈને ભડક્યા સોનુ નિગમ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button